Monday, 25 May 2020

ગઢડા મધ્ય ૧૩ દિવસ-૪


ગઢડા મધ્ય ૧૩ દિવસ-૪
તેજનું


એવી રીતે શ્રીજીમહારાજે પોતાના ભક્તજનની શિક્ષાને અર્થે પરોક્ષપણે પોતાના પુરુષોત્તમપણાની વાર્તા કરી અને સમજણાવ્યું કે, આવી ભગવત્સ્વરૂપ સંબંધી જે વાર્તા તે તો શાસ્ત્રમાંછે અને સદ્‌ગ્રંથોમાં આવી વાર્તા તો હોય પણ જ્યારે સત્પુરુષ પ્રગટ થાય છે,  ત્યારે તેમના મુખ થકી જ વાત સમજ્યામાં આવે છે, પણ પોતાની બુદ્ધિબળે કરીને સદ્‌ગ્રંથોમાંથી પણ સમજાતી નથી.

ભગવાનના સ્વરૂપમાં જો કોઈ રીતની સમજ્યામાં કસર રહી તો કોઈ રીતે વાંધો ભાંગશે નહીં. માટે દેહ છતે જે પ્રકારે આવું રહસ્ય સમજાય તેવો ઉપાય કરવો.

કોઈ રીતે આ વાત સમજાય તો બહુ સારું થાય. માટે આ વાર્તા છે તે સર્વે દ્રઢ કરીને રાખજ્યો 
આ વાત સમજાય તો  -  આ વાત એટલે ભગવાનના સ્વરૂપની, નિશ્ચયની, પ્રગટ ભગવાનની
જે તેજને વિષે મૂર્તિ કહી તે જ આ શ્રીજીમહારાજ પ્રત્યક્ષ પ્રમાણ છે.
જે હાલ નેનપુરમાં પ્રગટ બ્રહ્મસ્વરૂપ પ.પુ. મહંતસ્વામી મહારાજ રૂપે પ્રગટ છે.

સાથે સાથે કેટલીક બીજી ગોષ્ઠિ પણ થઇ.
·         કિમ; આશ્ચર્યમ – જગતનું આ જ સૈાથી મોટુ આશ્ચર્ય છે.
·         પ.પુ. મહંતસ્વામી મહારાજ પુજા પછી ૭ મીનીટ સુધી હાથ જોડીને સૈાને નમ્રભાવે વંદન કરે છે., આપણે પ્રયત્ન કરી જોઇએ  કેટલી વાર સુધી રાખી શકીએ છીએ ?
·         મુંબઇના કોઠારી પુ. ભકિતપ્રીય સ્વામીની વિશેષતા તેમણે મટકુ જીત્યું છે – જો જો કોઇ વખત તે મટકું મારતા પણ જોવા નહી મળે.


અગતરાઇમાં જયારે સંતો ધ્યાન કરતા હતા તે પ્રસંગની વાત છે તે વખતે ગોપાળાનંદસ્વામીએ સંતોને પુછયું, કે, શેનું ધ્યાન કરો છો ? તો સંતો બોલ્યા - મહારાજે જે જે સ્થાનકને વિષે જે જે લીલા કરીહોય તેનું ધ્યાન કરીએ છીએ ત્યારે ગોપાળાનંદ સ્વામી બોલ્યા, ધ્યાન એટલે – પોતાના જીવને વિષે અક્ષરબ્રહ્મ ને વિષે એકતા કરવી તેનું નામ ધ્યાન.

આજે પ્રગટ સત્પુરુષ દ્વારા આપણાને  સાધના મંત્ર આપ્યો છેઃ અક્ષરમ્ અહં, પુરુષોતમ દાસોસ્મિ્

મનુષ્ય દેહની દુર્લભતા ઉપર વાત કરી, જે બીજા જીવ પ્રાણીમાત્રને ભગવાને બધું જ આપ્યું છે પણ બુધિ કેવળ મનુષ્યને જ આપેલછે.અને તે મોક્ષનેકામ આવે તેનું નામ બુધ્ધિ .

નટવરભાઇના સસરા પ.ભ. શ્રી મોહનભાઇ પટેલ (દાદા) પણ આજની ગોષ્ઠિમાં લાભ આપતા જણાવ્યું કે,   મુળજી બ્રહ્મચારીને  શ્રીજી મહારાજે  ભાષણ કરવા જણાવ્યું તો કહે મને નો આવડે, તોય બોલો તો બોલ્યા
જેવા મહારાજ છે એવા જાણજો
જેવા મહારાજ છે એવા જાણજો
જેવા મહારાજ છે એવા જાણજો
જેવા મહારાજ છે એવા જાણજો
આવીરીતે શ્રીજી મહારાજ  મહારાજને જેવા છે તેવા ને તેવા જાણવા એવો અર્થ ગ.મ. ૧, ગ.અં. ૩૯ અને ગ.મ. ૧૩માંથી સાંકળી કરીને નિત્ય પ્રત્યે વિચારવો દૃઢ કરવો. 

નરેન્દ્ર રાઠોડ
તારીખઃ ૨૫-૦૫-૨૦૨૦
અમદાવાદ

No comments:

Post a Comment

મારું આહનીક જીવન

મારું આહનીક જીવન એક સાચા અને વ્યવસ્થિત સત્સંગી તરીકે જીવનમાં જે સત્સંગ જોઈએ તો એની માટે હવે હું મારામાં સુધારો કરીશ. સૌપ્રથમ પ્રાતઃ ઉઠતાની સ...