Tuesday, 26 May 2020

ગઢડા મધ્ય ૧૪


ગઢડા મધ્ય ૧૪
નિર્વિકલ્પ સમાધિનું


પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું જે, “ભગવાનના સ્વરૂપને વિષે જે સંત તદાત્મકપણાને પામે છે, તે સમાધિએ કરીને પામે છે કે એનો કોઈ બીજો પણ ઉપાય છે? 

ભગવાનના સ્વરૂપનો જે નિશ્ચય કર્યો હોય તેમાંથી મન ડગમગે નહીં, એવો જે નિરુત્થાનપણે ભગવાનનો નિશ્ચય એને અમે તદાત્મકપણું કહીએ છીએ. અને અને એવું જે એ તદાત્મકપણું તે ભગવાનના એકાંતિક ભક્તના પ્રસંગે કરીને થાય છે
અહીંયા તદાત્મકપણું  તેનો અર્થ એવો સમજવો કે   = નિરુત્થાનપણે ભગવાનનો નિશ્ચય એને અમે તદાત્મકપણું કહીએ છીએ.  એટલે કે

·         ભગવાનના દિવ્ય ગુણોને પામવાના છે.
·         અક્ષરના સાધર્મ્ય પણાને પામવું  
·         અક્ષર અને ભગવાનની એકતા છે.
·         અક્ષરરૂપ થાવ છો, પુરુષોતમરૂપ નથી થતા એમ સમજવું.
·         ભગવાનના સ્વરૂપનો જે નિશ્ચય કર્યો હોય તેમાંથી મન ડગમગે નહીં
·         જો ભગવાનના સ્વરૂપનો જે નિશ્ચય કર્યો હોય તેમાંથી મન ડગમગે નહીં,

આ તદાત્મકપણું પણ કેવળ સમાધિએ કરીને નથી થતું
ઉપર જણાવ્યું એ તદાત્મકપણું તેને જ નિર્વિકલ્પ સમાધિ કહીએ છીએ

ભગવાનના સ્વરૂપનું જ્ઞાન તે જેને થયું હોય ને તેને થોડી બુદ્ધિ હોય તો પણ એને મોટી બુદ્ધિવાળો જાણવો;
અને આવું ભગવાનના સ્વરૂપનું જ્ઞાન જેને ન હોય ને તેને જો ઝાઝી બુદ્ધિ હોય તો પણ તેને બુદ્ધિહીન જાણવો

નરેન્દ્ર રાઠોડ
તારીખઃ ૨૬-૦૫-૨૦૨૦
અમદાવાદ

No comments:

Post a Comment

મારું આહનીક જીવન

મારું આહનીક જીવન એક સાચા અને વ્યવસ્થિત સત્સંગી તરીકે જીવનમાં જે સત્સંગ જોઈએ તો એની માટે હવે હું મારામાં સુધારો કરીશ. સૌપ્રથમ પ્રાતઃ ઉઠતાની સ...