Thursday, 30 April 2020

પ્રાતઃ સ્મરણિય શ્લેાક


પ્રાતઃ સ્મરણિય શ્લેાક
નીચે જણાવેલ શ્લેાક અમોએ પ્રોજેકટ પ્રભુ અન્વયે તારીખ ૨૨-૦૩-૨૦૧૯ ના રોજ બનાવેલ હતો.

જુનો શ્લોક
કરાગ્રે વસતે મુકતમ , કરમૂલે ચ અક્ષરમ , 
કર મધ્યે પુરુષોત્તમ , પ્રભાતે કર   દર્શનમ્

જેમાં પુ. પ્રિયસ્વરૂપ સ્વામીને સંસ્કૃત અને ભાષાની દ્રષ્ટિએ ( 29/04/2020) ચેક કરાવતા
નીચે મુજબનો શ્લોક નિત્ય પ્રાતઃ સમયે પથારીમાંથી ઉઠીને હાથના પંજાને આંખ સામે રાખીને બોલવો.
કરાગ્રે વસતિ મુક્તઃ,
કરમુલે તુ ચાક્ષરમ,
કરમધ્યે
પરબ્રહ્મ,
પ્રભાતે કરદર્શનમ
શ્લોકનો અર્થ
હાથના અગ્રભાગે વસતા અક્ષર મુક્ત, હથેળીના નીચેના ભાગમાં વસતા અક્ષરબ્રહ્મ તથા હસ્તની મધ્યે બિરાજતા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનું હું પ્રભાત કાળે દર્શન કરું છું.


અસ્તુ,
નરેન્દ્ર રાઠોડના સૈાને સ્નેહભર્યા જય સ્વામિનારાયણ
૩૦/૦૪/૨૦૨૦ ગુરુવાર  

પ્રોજેક્ટ પ્રભુ - 1


પ્રોજેક્ટ પ્રભુ
પ્રોજેક્ટ પ્રભુ અન્વયે ઘણા વર્ષોથી પ્રભુદાસ પટેલ અને નરેન્દ્ર રાઠોડ વચ્ચે સતત સંગોષ્ઠી થયા કરતી હતી.  જેમાં આજે અત્યાંતિક સુખના કેતા મોક્ષ માટે સુખના સાત સોપાન પ્રભુદાસ પટેલ તરફથી રજૂ કરવામાં આવ્યા.
(૧) અભાવ અવગુણ ન લેવો અને ગુણ અને ઉપકાર ઉપર જ દૃષ્ટિ રાખવી અને ગુરુ તરફ જ દૃષ્ટિ રાખવી.
(ર) ક્ષમા કરો, ઉદાર બનો. દોષ માફ કરો, માફી માગો હદયથી
(૩) વિચાર વાણી વર્તનમાં એકતા રાખો
(૪) મનથી નહીં પણ હૃદયની ભાવનાથી વિચારવું
(પ) તપાસ કરો હું કયાં ખોટો છું, મારી કઇ ખોટ છે, સામેવાળા કયા સાચા છે.
(૬) હ્રદયના શુધ્ધ ભાવ તથા નિઃસ્વાર્થ  એ બારવલુ સોનું છે. મોક્ષના ખપનો વિચાર રાખી અંતિમલક્ષ તરફ જોક રાખવો.
(૭) હું બીજા કોઇને બદલી શકતો નથી., મારે જ બદલાવવું પડે.  આ એક સીમપલ, સોલીડ સુખ માટેનો રસ્તો છે. અપેક્ષાઓ છોડો. અને જીવનને જીવંત બનાવો.

ઉપરોકત સાત સોપાન પૈકી આજે પ્રથમ સોપાન ઉપર ગોષ્ઠિ કરવામાં આવી.
અભાવ અવગુણ કેમ આવે છે ?
o   મહિમા નથી.
o   જાગૃતિ નથી
o   દાસભાવ નથી
o   અનાદર કરીએ છીએ
o   બીજાને નાના સમજીએ છીએ.


અભાવ અવગુણ ટાળવાનો ઉપાયઃ
o      અંર્તદ્રષ્ટિ – જાણપણું રાખો તો આગળ વધાય. જો માથાનો મુગટ કે ચૈતન્યમૂર્તિ સમજાય તો અભાવ અવગુણ ન આવે.

સ્વામીની વાતઃ ૨/૩૫ નિરંતર પાછું  વાળીને જોવું જે હું શુ; કરવા આવ્યો છું, અને હું શું કરી રહયો છું.
વચ. પ્ર. ૩૮  વણીકના નામનો વિચાર કરો –

બીજાને બદલાવાની બદલે પોતાની જાતને બદલો. હવે વિગતવાર ચર્ચા કરવા કરવામાં આવી.
એક જો આવું બને તો સત્સંગમાં કેસર કેરી જેવું સુખ આવે - યોગીજી મહારાજ

અંતમાં
 અંર્તદ્રષ્ટિ એટલે introspect  આત્મનિરીક્ષણ
જાણપણું એટલે  awareness જાગૃતિ
જો આ બે બાબતમાં સજાગ થવાય તો પ્રથમ ચરણમાં આગળ વધી શકાય.

અસ્તુ,
જય સ્વામિનારાયણ
ગોષ્ઠીતારીખઃ ૩૦/૦૪/૨૦૨૦ ગુરુવાર  


Wednesday, 29 April 2020

ગઢડા મધ્ય-ર


ગઢડા  મધ્ય-ર
પાણીની સેરનું

આત્યંતિક કલ્યાણ માટે ભગવાનના ભક્તો એ શું સમજવું ?
        જીવ, ઇન્દ્રિયો, અંતઃકરણ અને પંચવિષય એ દેહથી જુદા છે. – એમ સમજવું.

અંતઃકરણ એટલે
મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર
મન - મનસૂબા કરે
બુદ્ધિ - તર્ક લગાડે
ચિત્ત- ચિંતવન કરે અને
અહંકાર – ટંકાર કરે

ઇન્દ્રિય વિષય તરફ દોટ મૂકે છે, અને જીવ વિષયભોગ વગર રહી શકતો નથી. એટલે ભગવાન સંબંધિત વિષયો ભોગવવા તેમ શ્રીજી મહારાજ જણાવે છે.
નિયમોમાં રહીશું તો રક્ષા થશે અને અંતરમાં મૂર્તિ ધારી રાખવી.
ઉદાહરણઃ
જેમ  બાહ્ય ગુમડું ઔષધથી માટે અને
કુવો ગાળવો હોય તો તેને ગાભા ભરીને શેર્યો બંધ કરવી પડે. ના ઉદાહરણ દ્વારા
પાણી રૂપી વિષયોને રોકી શકાય, મન જીતી શકાય તેમ સમજવું.
મન જીત્યું તેણે જગત જીત્યું
સમીકરણ દ્વારા સમજ આપતાં પ્રભુદાસે કહયુઃ H=O/D  જેટલી જરૂરિયાત ઓછી તેટલું હેપીનેસ કહેતા સુખ વધારે છે.  
સંદર્ભ વચનામૃત
ગઢડા પ્રથમ 18
સંદર્ભ સ્વામીની વાત - કલકત્તી જોયું નથી
એક વાક્યમાં સમાપનઃ
ભગવાન સંતોની આજ્ઞા અને અનુવૃત્તિ શાસ્ત્રના નિયમોમાં રહીને, અક્ષર/ બ્રહ્મ ભાવે પરમાત્માની ભક્તિ કરવી.
અસ્તુ,
જય સ્વામિનારાયણ
ગોષ્ઠીતારીખઃ ૨૮/૦૪/૨૦૨૦ મંગળવાર

ગઢડા મધ્ય -૧


વચનામૃત ગોષ્ઠી

આજ તારીખ 27 એપ્રિલ 2020 સોમવારથી પરમ ભગવદીય શ્રી પ્રભુદાસ ભાઈ પટેલ, શ્રી નટવરભાઈ પટેલ, અને નરેન્દ્ર રાઠોડ દ્વારા કોરોના વાયરસના કારણે થયેલ લોકડાઉનના સમયમાં સાંજે ચાર વાગે કોન્ફરન્સ ફોન કોલ દ્વારા વચનામૃત ગોષ્ઠીની આજથી શરૂઆત કરવામાં આવી.


ગઢડા મધ્ય -૧
મોહ ઉદય થયાનું
મોહ ની વ્યાખ્યાઃ મનમાં ભ્રાંતિ થવી.
મોહનના લક્ષણોઃ  વિવેક ન રહે -  શું કરવા યોગ્ય છે અને શું કરવા યોગ્ય નથી
મોહ ઉદય થયાનું કારણઃ  પંચવિષયમાં આશક્તિ
આશક્તિ ઘટાડવાનો ઉપાયઃ
        (૧)  આત્મનિષ્ઠા નીડરતા
        (ર) જગતની ઉત્પત્તિ સ્થિતિ પ્રલય ની સમજ
        (૩) ભગવાનના મહિમાનો વિચાર
જીવ, જગત અને જગદીશનું જ્ઞાન મેળવવું જરૂરી છે.
ઉદાહરણઃ
કૂવાના કાંઠે નરમ દોરડી પણ પથ્થર પણ કાપો પાડી દે છે.
સારાંશઃ
  સર્વ શાસ્ત્રોનો સાર રહસ્ય રૂપે જણાવતા શ્રીજી મહારાજ જણાવે છે કેઃ ભગવાનના ભક્તએ સાધન દશામાંથી કહેતા વિષયની આશક્તિ મૂકીને,  સિદ્ધ તરફ જવું.  આ રહસ્યને હરિભક્ત દ્રઢ કરીને રાખજો એમ પણ જણાવેલ છે.


ગોષ્ઠીતારીખઃ ૨૭/૦૪/૨૦૨૦ સોમવાર

મારું આહનીક જીવન

મારું આહનીક જીવન એક સાચા અને વ્યવસ્થિત સત્સંગી તરીકે જીવનમાં જે સત્સંગ જોઈએ તો એની માટે હવે હું મારામાં સુધારો કરીશ. સૌપ્રથમ પ્રાતઃ ઉઠતાની સ...