Saturday, 30 May 2020

પ્રોજેટક પ્રભુ ચર્ચા - તદાત્મકપણું

પ્રોજેટક પ્રભુ ચર્ચા - તદાત્મકપણું  
તારીખ ૩૦-૦૫-૨૦૨૦ ના રોજ ગઢડા મધ્ય ૧૪ ની ચર્ચામાં નિર્વિકલ્પ સમાધિનું  વચનામૃત અન્વયે તદાત્મકપણું  તેનો અર્થ એવો સમજવો કે = નિરુત્થાનપણે ભગવાનનો નિશ્ચય એને અમે તદાત્મકપણું કહીએ છીએ.એટલે કે અક્ષરના સાધર્મ્ય પણાને પામવું  ભગવાનના દિવ્ય ગુણોને પામવાના છે.

એટલે આ સમજવાનું છે.
  • ·         અક્ષરના સાધર્મ્ય પણાને પામો
  • ·         ભગવાન કોઇ થઇ શકતો નથી. ( કા. ૮-૧૦, લો ૪-૧૩, મ ૬૭)
  • ·         ભગવાન એક જ છે  (લો ૪-૧૩, મ ૬૭)
  • ·         ભગવાનના દિવ્યગુણોને પામવા ( પરંતુ  ભગવાનના એશ્વર્ય જેવા કે કર્તુમ, અકર્તુમ, અને અન્યથાકર્તુમ, તેમજ સર્વ કર્તા, નિયંતા, જેવી સામર્થીની વાત અહીયા નથી. )
  • ·         ભગવાનને પામવા અક્ષરની આવશ્યકતા છે. અનિવાર્ય છે ( લો ૭-૧૨, મ.૩)


ભગવાનનો અભિપ્રાય, સમજણ અને અભિગમ આ છે.
·         જીવને અક્ષર સાથે એકતા કરવી.
·         અક્ષરસાથે સ્વામી સેવકભાવ કરો તો ધિકકાર છે.
·         અક્ષર અને પુરુષોતમ બન્ને એક છે – એ ખોટો કોન્સેપટ છે. પણ ત્યાં સ્વામી સેવકભાવ રાખવાનો છે.


માયાવિષ્ટીત તત્વો માયાપરનું જ્ઞાન પામી ન શકે, સમજી કે સમજાવી ન શકે. માટે નિગમો નેતિ  નેતિ  કહીને ગાય છે. કારણકે તેને તે સુધી દૃષ્ટિ પહોંચતી જ નથી ( કારણ તે માયામાં છે ) ચાર તત્વો સુધી જ નિગમો આગમો પહોંચ્યા છે ચોથું તત્વ અવિદિત હતું.  એટલે તો અહં બ્રહ્માસ્મિ કહેતા...
સદભાગ્ય છે કે ભગવાન સ્વામીનારાયણનો આ ખરો સિધ્ધાત અક્ષર પુરુષોતમ દ્વારા રજુ થયો નહીં તો હજુ પણ આ જ ચાલતુ હોત..

શાસ્ત્રીજી મહારાજનો અભિપ્રાય.
·         પ્રગટ સત્પુરુષના પ્રસંગ થકી જ અક્ષરનું સાધર્મ્યપણું સાધી શકાય.
·         કા.૧ મુજબ ઇન્દ્રીયુ; અંતઃકરણ  ના ભાવ... સમજવો.
ટૂકમાં તદાત્મકપણું  તેનો અર્થ એવો સમજવો કે =
·         નિરુત્થાનપણે ભગવાનનો નિશ્ચય એને અમે તદાત્મકપણું કહીએ છીએ.
·         એટલે કે અક્ષરના સાધર્મ્ય પણાને પામવું 
·         ભગવાનના દિવ્ય ગુણોને પામવાના છે.
·         ભગવાનનો દૃઢ નિશ્ચય  લીમડો એટલે લીમડો
·         એને જ નિર્વિકલ્પ સમાધિ, નિર્ગુણ, બ્રહ્મ, દૃઢ નિશ્ચય, તદાત્મકપણું કહીએ.  

પ્રોજેકટ પ્રભુ અન્વયે કરવાના થતાં ફેરફારઃ
આપણી મૂળમાં પણી નથી રેડતા ..
સાધનાની સાચી રીત શું છે ? જેનાથી પોષણ થાય  તો
અત્યાર સુધી ભૈાતિક ફેરફાર કરવાની વાતો કરી
હવે આધ્યાત્મિક માર્ગમાં ફેરફાર કરવાનો વિચાર અને આચાર આયામ સાથે કરીએ.

જ્ઞાનની વિભાવના   ( જ્ઞાનનો કોન્સેપ્ટ )
Information     ઇન્દ્રિય ગમ્ય જ્ઞાન
Knowledge    જયારે અંતઃકરણ સ્વીકારે અને સાક્ષાત્કાર સુધી પહોંચે
Wisdom        જીવમાંથી હા પડે
  
હવે વીઝડમ સુધી પહોંચવાના માર્ગમાંઆપણે કયા સ્ટેજે છીએ ?  
તેનો વિચાર કરીએ અને તેનું લેવલ ચકાસીએ ?

બીલ્લી આવે તો ભાગ જાના,   એ વાત જાણીએ છીએ પણ બીલ્લીને સમજયા છીએ  ?

Wisdom માટેના સ્ટેપ્સ
(૧)    ખાલી થવું.    એટલે
        દાસના દાસના દાસ થવું, મન સોંપી દેવું, સમજણ કેળવવી.
(ર)     પરિસ્થતિ બોદલાવાની નથી, સમજણ બદલવાની છે.
        આવું હોય ત્યા આવુ જ હોય
કર્તા હતાર્નો વિચાર, જેવી ભગવાનની મરજી
જે થાય છે તે સારા માટે
આમાં મારી કાંઇક ભૂલ હશે
જયારે કોઇકના શબ્દો આવે ત્યારે તે અજ્ઞાનના શબ્દો છે, તે અજ્ઞાની છે તેવી સમજણ રાખવી પણ વિવાદ ન કરવો.
(૩)    શરૂઆત મારાથી ..... ચેરીટી બીગીન્સ ફ્રોમ હોમ
        અપેક્ષા ન રાખો, આવેગમાં આવો.
        તમે કોઇને સુધારી શકવાના નથી એ ફાંકો કાઢી નાખો
બીજાને સુધારવાની ટેવ સુધારો
       
(૪)    સાધનાના આધ્યાત્મિક માર્ગમાં સ્વ-અર્થી બનો.
(પ)    વર્તન વાતો કરે,
       
અક્ષરપુરુષોતમ દર્શન
અંતતઃ આપણા સૈાના સદભાગ્ય છે કે અગાઉ શંકરાચાર્યો દ્વારા જે વેદીક મતો અત્યાર સુધીમાં રજુ થયા છે તેમાં અદૃતન મત અક્ષરપુરુષોતમ દર્શન પુજય ભદ્રેશ સ્વામી દ્ગવારા રજુ કરીને આપણી શુધ્ધ ઉપાસનાને જે પ્રતિપાદિત કરી છે તે આપણા સૈા માટે દીવાદાંડી સમાન છે. જેમાં કાશીના વિદ્વાન પંડીતોએ પણ મહોર મારી દીધી છે. તો આપણે હવે તેને સ્વીકારીને આધ્યાત્મિક સાધનાના માર્ગે આદર્શ સાધન બની પુરુષોતમને સાધવા માટે દર્શાવેલ સાધનાનીસાચી રીતને અપનાવીએ અને આદર્શ સાધક બનીએ .

અસ્તુ,

જય સ્વામિનારાયણ
નરેન્દ્ર રાઠોડ
અમદાવાદ
તારીખ ૩૦-૦૫-૨૦૨૦

No comments:

Post a Comment

મારું આહનીક જીવન

મારું આહનીક જીવન એક સાચા અને વ્યવસ્થિત સત્સંગી તરીકે જીવનમાં જે સત્સંગ જોઈએ તો એની માટે હવે હું મારામાં સુધારો કરીશ. સૌપ્રથમ પ્રાતઃ ઉઠતાની સ...